મોદી વર્તમાન કાર્યકાળમાં ‘વન નેશન, વન ઇલેક્શન’ના અમલની ધારણા

મોદી વર્તમાન કાર્યકાળમાં ‘વન નેશન, વન ઇલેક્શન’ના અમલની ધારણા

મોદી વર્તમાન કાર્યકાળમાં ‘વન નેશન, વન ઇલેક્શન’ના અમલની ધારણા

Blog Article

ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારના વર્તમાન કાર્યકાળ દરમિયાન ‘વન નેશન, વન ઇલેક્શન’ વાસ્તવિકતા બનશે અને સરકારને વિશ્વાસ છે કે સુધારાના આ પગલાંને તમામ પક્ષોનું સમર્થન મળશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. કાયદા પંચ 2029થી લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓ જેવી કે નગરપાલિકાઓ અને પંચાયતો  માટે એક સાથે ચૂંટણી યોજવાની ભલામણ કરે તેવી શક્યતા છે. જોકે મોદી સરકારને સમર્થન આપતા ઘટક પક્ષોએ વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપ્યું છે, જોકે વિપક્ષે તેની હાંસી ઉડાવીને જણાવ્યું હતું કે ભારતમાં તે શક્ય નથી.

મોદીએ તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન વારંવાર ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના ત્રીજા કાર્યકાળમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ચોક્કસપણે ‘વન નેશન, વન ઇલેક્શન’નો આ કાર્યકાળમાં અમલ કરાશે. સરકારને વિશ્વાસ છે કે સુધારાના પગલાને તમામ પક્ષકારોનું સમર્થન પ્રાપ્ત થશે અને શાસક ગઠબંધનની અંદરની એકતા સમગ્ર કાર્યકાળ દરમિયાન ચાલુ રહેશે.

એનડીએના પ્રથમ બે કાર્યકાળમાં (2014-2024 સુધી) ભાજપને એકલા હાથે બહુમતી મળી હતી. જોકે આ વખતની ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો મળી છે, જે 543 સભ્યોની લોકસભામાં બહુમતીથી ઓછી છે, પરંતુ NDAમાં તેના સાથી પક્ષોના સમર્થનથી સરકારની રચના કરી છે.

ભાજપે લોકસભાની ચૂંટણી માટેના તેના ઢંઢેરામાં એકસાથે ચૂંટણીનું વચન આપ્યું હતું. 15 ઓગસ્ટે  11મા સ્વતંત્રતા દિવસના સતત ભાષણમાં વડાપ્રધાન મોદીએ રાજકીય પક્ષોને અનુરોધ કર્યો હતો કે તમામ પક્ષે વન નેશન વન ઇલેક્શનના હેતુને સાકર કરવા માટે મદદ કરે. દેશમાં વારંવાર ચૂંટણીથી દેશની પ્રગતિમાં અવરોધ આવે છે.

માર્ચમાં, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ વન નેશન-વન ઇલેક્શન અંગે અહેવાલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કર્યો હતો. સમિતિએ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની ભારપૂર્વક ભલામણ કરી હતી.

Report this page